Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

તબીબી ક્ષેત્રની કારકીર્દીના ૫૦ વર્ષ પૂર્ણ

હિન્દી- ઉર્દુના કવિ- લેખક ડો.પ્રકાશ શેઠનો શનિવારે રેડીયો કાર્યક્રમ

રાજકોટ,તા.૨૬: ગુજરાતના અગ્રગણ્ય સેકસોલોજીસ્ટ અને હિન્દી અને ઉર્દુના પ્રસિધ્ધ કવિ- લેખક શ્રી ડો.પ્રકાશ શેઠનો એક સુંદર રેડીયો કાર્યક્રમ ''પેટના રોગો'' અને તેની સારવારએ વિષય પર આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી ''નિરામય'' શ્રેણીમાં તા.૨૭ના શનિવારે સવારે ૮:૫૦ વાગે પ્રસારીત થશે.

આ સાથે ડો.પ્રકાશ શેઠ આકાશવાણીના અને દૂરદર્શનના પ્રોગ્રામ આપતા ૫૦ વર્ષ પૂરા કરે છે. આ જાણીને ડોકટર મિત્રોએ તેમને અભિનંદન આપ્યા હતા. ડો.શેઠના પ્રોગ્રામ આકાશવાણીના લખનઉ, દિલ્હી, મુંબઈ, હવા મહેલ વિવિધ ભારતી અને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ વિગેરે કેન્દ્રો પરથી પ્રસારીત થયેલા છે. આ સાથે જ ડો.પ્રકાશ શેઠ એક સફળ ડોકટર તરીકેના પણ પંચાસ વર્ષ પૂરા કરે છે. ડો. શેઠનો મો.૯૮૯૮૦ ૭૯૫૭૭ છે. કાર્યક્રમનું નિર્માણ ડો.વિપુલ ત્રિવેદીએ કરેલ છે.

(11:38 am IST)