Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાજપીપળામાં ડુંગળી - બટાકાના ભાવમાં થોડોક ઘટાડો થતા ગરીબ,મધ્યમ વર્ગને થોડીક રાહત મળી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલમાં લીલા શાકભાજીના ભાવો ઘટતા હોવાથી મોંઘા થયેલા ડુંગળી-બટેટાની માંગ ઘટતા ભાવો તૂટયા હતા પરંતુ હાલ ડુંગળી બટેટાના ભાવમાં કિલોએ અમુક ઘટાડો થતા મધ્યમ ગરીબ વર્ગને થોડી રાહત મળી છે. હજુ ડુંગળી બટાટાની નવી આવકો વધતા ભાવો વધુ ઘટે તેવી શકયતા જણાઈ રહી છે.હાલ ડુંગળી એક કિલોના ભાવ ઘટીને ૭૫ થી ૫૦ તથા બટેટાના ભાવ ઘટીને ૪૫ થી ૪૦ રૂ.થઇ ગયા હોય આવનારા સમયમાં આ ભાવ હજુ નીચા જશે તો ગરીબ,મધ્યમ વર્ગને રાહત મળશે.

(10:27 pm IST)