Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

નડિયાદના શાસ્ત્રીપુરા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવત રાખી પાડોશીને માર મારનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: શહેરના શાસ્ત્રીપુરા વિસ્તારમાં રહેતાં બે પાડોશી પરિવાર વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જો કે જે તે વખતે મામલો થાળે પડી ગયો હતો. પરંતુ બીજા દિવસે સવારે બંને પાડોશીઓ વચ્ચે ફરી તકરાર થતાં ઉશ્કેરાયેલા એક પરિવારના ત્રણ જણાંએ ભેગા મળી પાડોશી યુવકને માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેે મળતી માહિતી મુજબ નડિયાદના શાસ્ત્રીપુરા વિસ્તારમાં આવેલ લઘુભાઈના છીંડામાં રહેતાં ચીમનભઆઈ બીજલભાઈ દંતાણી અને ચેતનભાઈ કિશનભાઈ દંતાણી વચ્ચે ગતરોજ મોડી સાંજના સમયે કોઈ બાબતે તકરાર થઈ હતી. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં બંને પક્ષો આમનેસામને આવી જઈ એકબીજાને અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. જો કે બૂમાબૂમ સાંભળી ઘરમાંથી બહાર આવી ગયેલા ફળીયાના લોકોએ ઝઘડામાં વચ્ચે પડી મામલો થાળો પાડ્યો હતો.

(5:38 pm IST)