Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

શામળાજી મંદિર ચાર દિવસ બંધ રહેશે :મેળો મોકૂફ રખાયા બાદ મંદિર પણ બંધ રાખવા ટ્રસ્ટનો નિર્ણય

ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે.ભક્તો ચાર દિવસ નહિ કરી શકે દર્શન

અરવલ્લી :કોરોના સંક્ર્મણ રોકવા શામળાજી મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય કરાયો છે, ,કારતકી મેળામાં થનાર સંક્રમણ રોકવા મંદિર ચાર દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે ત્યારે તારીખ ૨૭ થી ૩૦ નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મેળો મોકૂફ રખાયા બાદ મંદિર પણ બંધ રહેશે.માત્ર બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે પરંતુ ભક્તો ચાર દિવસ મંદિરમાં દર્શન નહીં કરી શકે

(11:17 am IST)