Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

નર્મદાના એક ગામમાં 5 દીકરી બાદ દીકરાનો જન્મ ન થતા પરણિતાને ત્રાસ આપતા સસરિયાઓને મહિલા હેલ્પલાઇને આપ્યું માર્ગદર્શન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લાના એક ગામમાંથી પરણિતાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે તેમને દીકરો ન થતો હોવાથી તેમના પતિ અને સાસરી વાળા મારઝૂડ કરી હેરાન કરે છે માટે મદદ કરવા જણાવતા રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન સ્થિતિ 181 અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક આ મહિલાના ઘરે પહોંચી પતિ અને સાસુને સમજાવ્યા કે આ માટે એકલી સ્ત્રી જવાબદાર નથી હવે દીકરી અને દીકરો એક સમાન છે દીકરીઓને પણ યોગ્ય શિક્ષણ અપાય તો એ પણ સ્વમાનભેર જીવી શકે છે.આમ વિગતવાર સમજ આપતા મહિલાના સસરિયા એ પોતાની ભૂલ કબુલ્યા બાદ હવે પછી પત્નીને હેરાન નહીં કરે તેવી ખાત્રી આપી હતી.
આજે પણ ઘણા સમાજોમાં પરિવાર માં દીકરો હોવો જ જોઈએ અને દીકરાનો જન્મ ન થતા સમગ્ર દોષ પત્નીનો હોય તેમ માની મારઝૂડ અને માનસિક ત્રાસના કિસ્સાઓ હજુ પણ જોવા મળે છે આવોજ આ કિસ્સો અભયમ 181મહિલા હેલ્પલાઇનને મળતા અભયમ ટીમે પત્ની અને સાસરી વાળને વિગતવાર સમજ આપતા મહિલાના સસરિયા એ પોતાની ભૂલ કબૂલી હતી.પોતાને મળેલ મદદ બદલ પરણિતા એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

(11:05 pm IST)