Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

સુરતમાં ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

પિતા મોબાઈલ લઈ નોકરી જાય, બીજો મોબાઈલ નથી : સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ ૧૦ની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ભારે સનસનાટી

સુરત,તા.૨૫ : કોરોના વાયરસને કાબુમાં લેવા માટે લોકાડઉન આપવું પડ્યું, હાલમાં લગભગ મોટાભાગના ધંધા રોજગાર તો ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ કોરાનાનો ખતરો જરા પણ ઓછો નથી થયો, જેને પગલે સ્કૂલો ખોલવાની મંજૂરી હજુ પણ સરકારે આપી નથી. જોકે, કોરોનાને પગલે ઓનલાઈન અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ, કેટલાક વિદ્યાર્થીઓએ એવા જે જેમના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, જેમણે ઘરમાં બાળકોને એકસ્ટ્રા મોબાઈલ કે લેપટોપ લઈ આપવું પરવડે તેમ નથી, જેને પગલે સારી રીતે અભ્યાસ કરી નથી શકાતો. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે, જેમાં ઓનલાઈન શિક્ષણ માફક ન આવતા ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે એક ધોરણ ૧૦ની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જોકે લોકડાઉનને લઈને આ તરૂણી ઓનલાઇન અભ્યાસ કરતી હતી, પરંતુ ઓનલાઈન પર સારી રીતે ભણી શકતી ન હોવાથી ટેન્શનમાં આવી તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

                સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે. જોકે, લોકડાઉનને લઇને બેકાર બનેલા લોકો આપઘાત કરી રહ્યા છે તો, કેટલાક લોકડાઉનને લઈને ઘરેથી કામ કરવાને લાઈને તો કેટલાક લોકો ઘરેથી અભ્યાસ કરવાને લઈને હતાશામાં આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે, ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની વતની હતી, અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા તેરેનામ રોડ પર ક્રિષ્ના નગરમાં રહેતા શિવશંકર રામકરણની ૧૪ વર્ષની પુત્રી આકાંક્ષા પાંડેસરાની શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે આકાંક્ષાને શાળામાં બોલાવવામાં આવી હતી અને શિક્ષકે પૂછ્યું હતું કે, ભણવાનું કેવું ચાલી રહ્યું છે ત્યારે આકાંક્ષાએ તેમને કહ્યું હતું કે, અમારી પાસે એક મોબાઇલ છે તે પિતા લઈ જાય છે એટલે હું સારી રીતે ભણી શકતી નથી. પરિવાર પાસે પૈસાની સગવડ ન હોવાથી બીજો મોબાઈલ લઈ શકતા ન હતા. આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતી હોવાની વાત શિક્ષકને કરી હતી.

(7:25 pm IST)