Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજપીપળામાં નોમ નિમિત્તે હરસિધ્ધિ માતા અને આશાપુરી માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષની જેમ વર્ષે પણ નવચંડી યજ્ઞનું આયોજન કરાયુ જોકે કોરોના મહામારીના કારણે દર વર્ષે નવચંડીમાં 10 થી વધુ યુગલો બિરાજતા હતા જે વર્ષે એકજ યુગલ આશાપુરી મંદિર ખાતે બિરાજમાન થયું હતું.જ્યારે હરસિધ્ધિ માતા ના મંદિર ખાતે પરંપરાગત રીતે રાજવી પરિવાર બિરાજમાન થયું હતું.જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડીમાં શ્રીફળ હોમાવાની વિધિ બાદ યજ્ઞ પુર્ણ કરાયો હતો.

(12:59 am IST)