Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

પારૂલ યુનિ.ના કર્મચારીના મોત અંગે વળી નવા નવા ખુલસા

વડોદરા : પારૂલ યુનિ.માં કર્મચારીના મૃતદેહ બાબતે રોજ નવા નવા ફણગા ફટી રહ્યાં છે.

ત્યારે આ કેસ હવે સયાજીગંજ પોલિસ સ્ટેશનના P.I હરેશ વોરાને હવે તપાસ સોંપવામાં આવી છે. 

હત્યા કે આત્મહત્યાની કળી વચ્ચે પોલીસે હાલ મૃતક કર્મચારીના લોકરની ચાવી કબ્જે કરી છે. તો બીજી તરફ રાજ્યસરકારે પણ આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરી છે.

FSL રિપોર્ટ બહાર આવ્યા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. ડોક્ટરોનું કહેવું છે કે કર્મચારીનું મોત હાર્ટ એટેકથી થયું છે. 

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ પોલીસને 8 પાનાનો પત્ર મળી આવ્યો હતો જેમાં પારૂલ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ પેનડ્રાઈવ, આઇકાર્ડ અને ચાવી કબ્જે મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

(2:36 pm IST)