Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સુરતના ચોકબજાર વિસ્તારમાં બાંધકામ સાઈટ પરથી નીચે પટકાતા શખ્સનું ગંભીર ઇજાથી સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનિકુમાર રોડ ઉપર રાજ રેસિડેન્સીમાં રહેતા 30 વર્ષીય રાકેશભાઈ ઘુસાભાઇ ચાંદીગરા ગઈ તારીખ 20મીએ બપોરે ચોકબજારના વેડ રોડ ખાતે શ્રદ્ધા સોસાયટીમાં બાંધકામ સાઇટ પર કામ કરતા હતા, ત્યારે તે અચાનક બીજા માળેથી નીચે પટકાતાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે તે મોતને ભેટ્યા હતા. 

નોંધનીય છે કે રાકેશભાઈ મૂળ જૂનાગઢના માંડવાડ ગામના વતની હતા તે કોન્ટ્રાક્ટર કામની સાથે કડિયા કામ પણ કરતા હતા તેમને બે સંતાન છે. આ અંગે ચોકબજાર પોલીસે તપાસ આદરી છે.

(5:11 pm IST)