Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કેવડિયામાં કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગની દોડધામ વધી : શુક્રવારે 20 કોરોના કેસ મળી જિલ્લાનો કુલ આંક ૧૨૦૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.જેમાં ખાસ કરીને આગામી 31 મી ઓક્ટોમ્બરે એકતા પરેડમાં પી.એમ મોદી આવવાના હોય તે પહેલાજ રોજે રોજ કેવડિયામાં કોરોના પોઝીટવના કેસ વધતા હોવાથી આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઈ છે.ત્યારે શુક્રવારે નર્મદા જિલ્લામાં નવા કુલ-૨૦ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હોય જેમાં કેવડિયા તરફના ૦૫ કેસ નીકળ્યા છે.જે ચિંતાનો વિષય કહી શકાય.
             આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૦ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા વડ ફળીયા-૦૧,ટેકરા ફળીયા-૦૧, નાંદોદ તાલુકાના ગોપાલપુરા-૦૧,જીતનગર-૦૩, આદર્શ નિવાસી શાળા-૦૪ ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોનીમાં-૦૪, ગોરમાં-૦૧ તિલકવાડા ના આંબેડકર ચોક-૦૧,એકલવ્ય સ્કૂલ-૦૪ મળી નર્મદા જિલ્લા માં કુલ-૨૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૫૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૩ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૯૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૨૦૫ પર પહોચ્યો છે.આજે વધુ ૯૨૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:41 pm IST)