Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોઇચા નર્મદા નદીમાં ડૂબી ગયેલા સુરતના યુવાનનો પોઇચા પુલ નીચેથી મૃતદેહ મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા સુરતના યુવાન ડૂબી જતાં તેની શોધખોળ બાદ આજે પોઇચા પુલ નીચેથી તેનો મૃતદેહ મળ્યો હતો
પોલીસ સૂત્રો માથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતનાં પુણા તરફ રહેતા અને મિત્રો સાથે પોઇચા નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલા વિનોદભાઈ વર્જાંગભાઈ વંશ(35) તથા અન્ય મિત્રો નીલકંઠ ધામ મંદિરે દર્શન કરતાં પહેલાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા જે પૈકી વિનોદભાઈ વંશ સ્નાન કરતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યાર બાદ  રાજપીપળા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે આ યુવાનની શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઇકાલે આ યુવાનની કોઈ ભાળ મળી ન હતી માટે આજે સવારથી ફરી શોધખોળ કરતાં પોઇચા પુલ નીચેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો,રાજપીપળા પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી છે.

(11:08 pm IST)