Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

તલોદ તાલુકાના રણાસણ ગામે સર્જાયેલ વાહન અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઇજાથી મોત

હિંમતનગર:તાલુકાના બાવસર ગામના રહીશ કનુજી કાળાજી પરમાર (ઉ.વ. ૪૫)એ તેમના દિકરા કરણજી કનુજી પરમાર (ઉ.વ. આ. ૧૨) સાથે પોતાનુ બાઈક લઇને હિંમતનગર પાસે રહેતા તેમના ભાઈ કાંતીજી પરમારને ત્યાં ગયા હતા. જ્યાંથી કાંતીજીના દિકરાનો સંબંધ મોડાસા તાલુકાના લીંભોઈ ખાતે કરેલી હોવાથી લીંભોઈ ખાતે દિકરીને ગૌરીવ્રત નિમિત્તે સુકોમેવો આપવા બપોર બાદ હિંમતનગરથી કનુજી અને તેમનો દિકરો કરણ બાઈક ઉપર જવા નિકળ્યા હતા. કનુજીનુ બાઈક રણાસણ-ગાંભોઈ રોડ ઉપર દોડી રહ્યું હતું ત્યારે પુરવાટ દોડી આવતી વેગનઆરની ટક્કર કનુજીના બાઈકને લાગતાં જ બાઈક ઉપર સવારી કરી રહેલા બાપ-દીકરો રોડ ઉપર પડકાયા હતા. જ્યાં ભારે ઇજાઓને કારણે કનુજીનું પળવારમાં જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કરણને મોં માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. કનુજીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કોઈ દાકતરી ઇલાજ મળે તે પૂર્વે તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરીને ગાડીનો ચાલક જે તે સ્થિતિમાં ઘટના સ્થળે ગાડી ઠોકી દઇ સલામતી ખાતર ભાગી છુટયો હતો. મરનાર કનુજીના ભાઈ કાંતીજીએ નોંધાયેલ ફરીયાદ આધારે તલોદ પો.સ.ઇન્સ. બી.ડી.રાઠોડએ તપાસ જારી રાખી છે.

(5:09 pm IST)