Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૮૯૭ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રામબાગ માં ૦૧, રાજેન્દ્રનગરમાં ૦૧, સિંધીવાડમાં ૦૨, કલેકટર નિવાસ ૦૧ સોનીવાડ ૦૧ તથા નાદોદ તાલુકામાં વર્ખડ ૦૧, બોરીદ્રા ૦૧, ગોપાલપુરા ૦૧, સુંદરપુરા ૦૧, જીલ્લા પંચાયત ૦૧, કરાઠા ૦૧, માંગરોળ ૦૧, નીકોલી ૦૧, ઓરી ૦૧, લાછરસ ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં ટીમરવા ૦૧,  દેકાઈ ૦૧, બોરઉતાર ૦૧, સમારીયા ૦૧, નવા વાઘપુરા ૦૧,અમરોલી ૦૧, કેવડિયા ૦૧, ધાવડી ૦૧, ધમાદરા ૦૧, ઉન્ડવા ૦૧, ઝરીયા ૦૧, સમશેરપુરા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં જેતપુર ૦૧, ફતેપુર ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામા પાનુડા ૦૧, ડેડીયાપાડા ૦૧, કુંડીઆંબા ૦૧, ચિકદા ૦૧, ગાજરગોટા ૦૧, મગરડદેવ ૦૧, ટીંબાપાડા ૦૧ તથા સાગબારા તાલુકામાં નાની દેવરુપણ ૦૧, સજનવાવ ૦૧, ટાવલ ૦૧, ઊભારિયા ૦૧, ઘોડમુગ ૦૧, સાગબારા ૦૨, ચોપડવાવ ૦૧, ઘોડાદેવી ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૭ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૬૦ દર્દી દાખલ છે, આજે ૨૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૬૦૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૮૯૭ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૭૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:05 pm IST)