Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

નારોલના જયશ્રી પરમારે ગળેફાંસો ખાધો :શાહપુરમાં રાકેશ શ્રીમાળીએ ઝેરી દવા પીધી અને બાપુનગરના રાહુલ પટણીએ સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

 

અમદાવાદ :શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું શહેરના નારોલના જયશ્રી પરમારે ગળેફાંસો ખાધો હતો જયારે શાહપુરમાં રાકેશ શ્રીમાળીએ ઝેરી દવા પીધી અને બાપુનગરના રાહુલ પટણીએ સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરતા સબંધીત પોલીસ દ્વારા આત્મહત્યાની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

   મળતી માહીતી મુજબ શહેરના નારોલ વિસ્તારમાં શાહવાડી નજીક શ્યામવિલા ફ્લેટ પાસે ગગનવિહાર સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય જયશ્રી પરમારે પોતાના ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ હતુ

  શહેરના શાહપુર વિસ્તારમાં દિલ્હી ચકલા નજીક દેના બેન્કની પાછળના ભાગે ભોયવાડામાં રાકેશ શ્રીમાફ્રી નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો. ૩૫ વર્ષિય યુવકે અગમ્ય કારણો સર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલમાં ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ. શાહપુર પોલીસે અંગે મૃતકના સગા-વ્હાલાની પુછરપછ કરી હતી.

જો કે હજી સુધી આત્મહત્યા પાછફ્રનુ કારણ બહાર આવ્યુ નથી.

  ત્રીજા બનાવમાં બાપુનગર વિસ્તારમાં મેજિસ્ટ્રેટની ચાલી નજીક આવેલ ચંદુલાલની ચાલીના છાપરા ખાતે રાહુલ પટણી પરિવાર સાથે રહેતો હતો ૨૧ વર્ષિય યુવકે પોતાના ઘરે લાકડાની વફ્રી સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતા પોલીસ તત્કાલીક ઘટના સ્થફ્રે દોડી ગઈ હતી.પોલીસે મૃત્યદેહને પોસમોર્ટમ અર્થે ખસેડીના આત્મહત્યા પાછળનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

(8:57 am IST)