Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

સુરત મનપાનો મોટો નિર્ણય, સેન્ટ્રલ ઝોનમાં ચા - પાનની દુકાનો 3 દિવસ માટે રહેશે બંધ

નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં બંધ રખાશે

સુરત :સુરતમાં કોરોના સંક્રમણ વધતા સુરતમાં પણ રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેવામાં આગામી દિવસોમાં સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં વધુ એક નિયમ લેવામાં આવ્યો છે. સુરતમાં ચાર દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. જેના કારણે આજથી સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનની દુકાન ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતાના સેન્ટ્રલ ઝોનમાં આવતા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં ચા અને પાનની દુકાન 3 દિવસ માટે બંધ રહે.

(1:43 pm IST)