Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મેમદપુરા- હિરાપુરા ખાતે એ.ડી.સી બેંકની શાખાનું ઉદ્ઘાટન કરાયું

એડીસી બેન્કના ડિરેકટર અને પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  મેમદપુરા-હિરાપુરા ગામે એ.ડી.સી. બેંકની ૨૧૦મી અને વિરમગામ તાલુકા ની ૧૦મી શાખાનું ઉદ્દઘાટન એ.ડી.સી.બેંકનાં ડીરેકટર અને પુર્વ ધારાસભ્ય વજુભાઈ  ડોડીયાનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ નાં કારણે સ્થાનિક આગેવાનો તેમજ બેંક નાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સાદાઇથી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. ડિરેક્ટરે બેંકનાં ચેરમેન અજયભાઈ પટેલ તેમજ બોર્ડ  ઓફ ડીરેકટરોનો આભાર માન્યો હતો.

(8:16 pm IST)