Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજ્યમાં કોરોનાંનો કહેર યથાવત : નવા 1402 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 16 લોકોના મોત :કુલ કેસનો આંક 1,26,169 થયો :વધુ 1321 દર્દીઓ સાજા થતા 106412 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 298 કેસ ,અમદાવાદમાં 185 કેસ, વડોદરામાં 136 રાજકોટમાં 150 કેસ ,જામનગરમાં 123 કેસ,ગાંધીનગરમાં 52 કેસ ,બનાસકાંઠામાં 46 કેસ,ભાવનગરમાં 47 કેસ, કચ્છમાં 33 કેસ ,પંચમહાલમાં 28 કેસ, મોરબીમાં 23 કેસ ,ભરૂચમાં 22 કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 1402  પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1321 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 106412 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3355 થયો છે

અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16402 છે જેમાં 16310 સ્ટેબલ છે જયારે 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજ્યમાં રિકવરી રેટ 84,34 % પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,321 દર્દીઓ સાજા થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા 1402  પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ  298 કેસ ,અમદાવાદમાં 185 કેસ, વડોદરામાં 136 રાજકોટમાં 150 કેસ ,જામનગરમાં 123 કેસ,ગાંધીનગરમાં 52 કેસ ,બનાસકાંઠામાં 46 કેસ,ભાવનગરમાં 47 કેસ, કચ્છમાં 33 કેસ ,પંચમહાલમાં 28 કેસ, મોરબીમાં 23 કેસ ,ભરૂચમાં 22 કેસ નોંધાયા  છે 

(7:37 pm IST)