Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે: કાંઠા વિસ્તારોને સાબદા કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળ ના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી હાલ મધ્યપ્રદેશ માંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે
 આજે નર્મદા બંધ માં ઉપરવાસ માંથી ૧.૪૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે સરદાર સરોવર નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૭.૦૩ મીટરે પોહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા , ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારો ને એલર્ટ રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ નર્મદા બંધ નું લાઇવ સ્ટોરેજ ૫૨૪૦.૩૦ MCM નોંધાયું છે

(7:09 pm IST)