Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજ્યમાં દલિતોને મંદિરોમાં પ્રવેશ નહિ અપાયાની 13 ફરિયાદો નોંધાઈ

ગાંધીનગર :સરકારનાં આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં દલિતોને મંદિરમાં પ્રવેશ અપાયો હોવાની 13 ફરિયાદો નોધાઈ છે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કબુલાત કરી હતી કે રાજ્યનાં 13 ગામોમાં મંદિરમાં દલિતોને પ્રવેશ આપવામાં આવતો નથી.
   અંગે લેખિત જવાબમાં જણાવ્યુ હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અનુસુચિત જાતિનાં લોકોને મંદિરમાં પ્રવેશ આપવાની 13 ફરિયાદો નોધાઈ હતી.જેમાં  અમદાવાદ ગ્રામ્યમાં 1, આણંદમાં 2, ભરૂચમાં 3, મહિસાગરમાં 1, સુરેન્દ્રનગરમાં 1 ,ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 2 અને બનાસકાંઠામાં 1 કેસનો સમાવેશ થાય છે.

(11:48 pm IST)