Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપી પી,પી,પાંડે કેસમાંથી મુક્ત: ડિસ્ચાર્જ અરજી મંજુર


   ફોટો પીપી પાંડે

અમદાવાદ :ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપ પી.પી. પાંડે કેસમાંથી મુક્ત થયા છે પી,પી,પાંડેએ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી.તેમણે કરેલી ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે મંજુર કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જુન-2004માં ઇશરત જહાં સહિત ચાર વ્યકિતઓ કોતરપુર વોટર વર્કસ પાસે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. ગુજરાત પોલીસે ચારેય મૃતકો લશ્કર--તૌઈબાના આંતકવાદીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને  મારવા આવ્યા હોવાનો દાવો કર્યો હતો. એન્કાઉન્ટર ફેક હોવાનું કહીને પી.પી.પાંડેને પણ તેમાં આરોપી બનાવાયા હતા એન્કાઉન્ટર કેસમાં પાંડે 18 માસનો જેલવાસ ભોગવી ચૂક્યા છે.

(11:38 pm IST)