Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ત્રિવેણી સંગમ રાજ્ય માટે ચિરસ્મરણીય : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઉદ્બોધન

અમદાવાદ, તા.૨૨, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અક્ષર ડેરી મહોત્સવ ખાતે જોવા મળેલી સાધુતાની મહેક પ્રસ્થાપિત કરતા સગૌરવ જણાવ્યું હતું કે, અહીં રચાયેલો રાષ્ટ્ર-રાજ્ય-ધર્મ સંસ્થાનો ત્રિવેણી સંગમ સમગ્ર રાજ્ય માટે ચિરસ્મરણીય બની રહેશે. પૂ. મહંત સ્વામીએ આશિર્વચન પાઠવતા સર્વે મહાનુભાવોનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રપતિ બીજીવાર અક્ષર દેરીની મુલાકાતે આવી સૌને આનંદ કરાવ્યો તે બદલ તેમનો વિશેષ આભાર માન્યો હતો. વિશેષમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી ગુજરાતમાં સારા કાર્યો કરવાની સૌને પ્રેરણા મળી રહી હોવાનું મહંત સ્વામીએ જણાવ્યું હતું. સાથોસાથ અક્ષર દેરીનું મહત્વ અને પૂ. ગુણાતિતાનંદ સ્વામીના કરેલા સમાજલક્ષી કાર્યોનું સંસ્મરણ કર્યું હતું.

 

(9:53 pm IST)