Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ખંભાત-બામણવા રોડ પર નીલ ગાય આડી ઉતરતા કારને અકસ્માતઃ સાસુ-સસરા-જમાઇના મોત

ખંભાત-બામણવા રોડ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં હતાં. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંભાતના જલુંધ ગામમાં રહેતા ગોરધનભાઇ કાશીભાઇ વાળંંદ કોઇ સગાને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી તેના જમાઇ પિંકેશભાઇ વિનુભાઇ પારેખ અને પુત્રી નૈના અમદાવાદથી કારમાં જલુંધ આવ્યા હતા અને જલુંધથી પિંકેશ, નૈના, ગોરધનભાઇ, મંજુલાબહેન અને બીજી પુત્રી અસ્મિતા આ પાંચેય જણાં કારમાં તેમના સગાને ત્યાં લગ્નમાં રૃદેલ ગામ ગયા હતા. રૃદેલથી લગ્ન પ્રસંગ પતાવી આ પરિવારના પાંચેય સભ્યો કારમાં બેસી જલુંદ જવા નીકળ્યા હતા. ત્યારે મોડી રાત્રે તેમની કાર ખંભાત બામણવા રોડ પર કિશનપુરના પાટિયા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે રોડ પર અચાનક જ નીલગાયનું ટોળું આવી જતા કારચાલક પિંકેશભાઇએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોંગ સાઇડમાં આવી જઇ જોરદાર ધડાકા સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર સાસુ કૈલાસબેન સસરા પીંકેશભાઇ ત્રણેયનો અને જમાઇ ગોરધનભાઇના ગંભીર ઇજા થવાના કારણે દ્યટનાસ્થળે જ મોત થયા હતા. જયારે બંને પુત્રીઓને ગંભીર ઇજા પહોંચી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)