Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આખરે 25 જાન્યુઆરીએ અમદાવાદના અડધો ડઝનથી વધુ થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ ‘પદ્માવત’

અમદાવાદ : ભારે વિરોધવંટોળ વચ્ચે અમદાવાદમાં ફિલ્મ પદ્માવત રીલીજ થશે અને તે પણ અડધો ડઝનથી વધુ થિયેટરોમાં. સિનેરસિકો આખરે નિયત તારીખ 25 જાન્યુઆરીએ  આ ફિલ્મ જોઈ શકશે.

પદ્માવત ફિલ્મ  25 જાન્યુઆરીએ આલ્ફાવન સિનેપોલિસ સિનેમા, હિમાલયા મોલ, ડ્રાઇવ-ઇન સિનેમા, એક્રોપોલિસ સિનેમા, કે સેરા સેરા, મુક્તા સિનેમા ગુલમહોર પાર્ક, સિનેમેક્સ પીવીઆર, રાજહંસ સિનેમા, પીવીઆર રેડ કાર્પેટ અને સિટી ગોલ્ડ આંબલી બોપલ રોડ ના થીયેટરોમાં રજૂ થશે.

આ રીલીઝના દિવસે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ત્યારે ફિલ્મ રીલીઝ થવાની છે તે તમામ થિયેટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવશે એમ જાણવા મળે છે.

(3:35 pm IST)