Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 16 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.079 : કુલ 8.15.024 લોકોએ કોરોનાને હરાવ્યો :રાજયમાં આજે વધુ 3.97.524 ડોઝનું રસીકરણ કરાયું

વડોદરામાં 5 કેસ, અમદાવાદમાં 4 કેસ, સુરતમાં 3 કેસ, આણંદ , ભાવનગર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 184 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 16 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 16 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.024 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મોત થયું છે  ,રાજ્યમાં મૃત્યુઆંક 10078 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે આજે રાજકોટમાં એક દર્દીનું મૃત્યુ થયું છે

 રાજ્યમાં રસીકરણ વેગવાન બન્યું છે આજે રાજયમાં વધુ 3.97.524 ડોઝનું રસીકરણ કરાયું છે આજ સુધીમાં રાજયમાં 4.26.66.652 ડોઝનું રસીકરણ કરાયું છે

  રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 179 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.024  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 15 કેસમાં વડોદરામાં 5 કેસ, અમદાવાદમાં 4 કેસ, સુરતમાં 3 કેસ, આણંદ , ભાવનગર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(7:39 pm IST)