Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજપીપળા SP કચેરી ખાતે નર્મદા પોલીસે આતંકવાદ વિરોધી દિનની ઉજવણી કરી શપથ લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દર વર્ષે 21 મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવનાર હોય આજે રાજપીપળા ખાતેની નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે અને પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટાફે આ દિવસની ઉજવણી કરી શપથ લીધા હતા
આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર કરવાનો છે.યુવાઓને આતંકવાદનો સફાયો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત એ પણ જણાવવામાં આવશે કે, તેમની એક ભૂલ કઈ રીતે રાષ્ટ્રીય સમસ્યા બની શકે છે માટે આજે નર્મદા પોલીસ દ્વારા આતંકવાદ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી તેમજ તમામ પોલીસ સ્ટેશનોમાં આતંકવાદ વિરોધી દીનના શપથ લેવામાં આવ્યા હતા.

(11:38 pm IST)