Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આતંકવાદ વિરોધી દિન નિમિતે જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ-કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા સેવા સદન ખાતે  જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ સહિત અન્ય અધિકારીઓ-કર્મચારીઓએ “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદ સામે લડવા, સામાજિક સદભાવના જાળવવા અને માનવ જીવનના મૂલ્યોના ખતરાને પહોંચી વળવા શપથ લેવામાં આવ્યાં હતાં.

(11:31 pm IST)