Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અમદાવાદમાં કોરોનાના નવા 19 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા:વધુ 34 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,750 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.49.969 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 205 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 34 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,13,750 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 91.355 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,87.52.829 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 199 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે,અને 197 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 28 કેસમાં અમદાવાદ શહેરમાં 17 કેસ,વડોદરા કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશનમાં 4-4 કેસ, સુરત કોર્પોરેશનમાં 2 કેસ અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે

(8:43 pm IST)