Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અમદાવાદમાં કરુણ ઘટના :JCB અથડાતા દીવાલ ધરાશાયી :ચાલકની બેદરકારીના કારણે નિર્દોષ પિતા-પુત્રીના કરૂણમોત

ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક દુર્ઘટના: ગરમીના કારણે દીવાલ પાસે ઉભેલા પિતા-પુત્રીનું કાટમાળ નીચે દટાઇ જતા મૃત્યુ

અમદાવાદમાં એક કરૂણ ઘટના બની છે. શહેરના ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહતની દિવાલ JCBની ટક્કરથી ધરાશાયી થઇ હતી. આ દિવાલ ધરાશયી થતા પિતા-પુત્રીનું કાટમાળ નીચે દટાઇ જતા મૃત્યુ થયું છે.

અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહતની દિવાલ JCBની ટક્કરથી ધરાશાયી થઈ હતી. ગરમીના કારણે દીવાલ પાસે ઉભેલા પિતા-પુત્રી પર દિવાલ પડી હતી. જેમાં બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને એલ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલ પર તેમને મૃત જાહેર કરાયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા ગોમતીપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ ફાયર વિભાગની ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે

(8:06 pm IST)