Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધારીખેડા સુગરની મુલાકાત લીધી

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની એક્તનગર ટેન્ટ સિટીમાં “વિશ્વ મધમાખી દિવસ” ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત રાજ્યના ક્રુષિમંત્રી રાઘવજીભાઈ પટેલ એ આજ રોજ શ્રી નર્મદા સુગર(ધારીખેડા)ની મુલાકાત લીધી હતી આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, સુગર ફેક્ટરીના મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ પટેલ ,ભાસ્કરભાઈ તથા સુગરના કર્મચારીઓ ઉપસ્તિથ રહ્યા હતા

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની એક્તનગર ટેન્ટ સિટીમાં “વિશ્વ મધમાખી દિવસ” ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેઓએ ધારીખેડા સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી

(10:28 pm IST)