Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

બોરીદ્રા ગામના અસ્થિર મગજના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામના એક અસ્થિર મગજના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ બોરીદ્રા ગામમાં રહેતા શનુભાઈ ફતેસિંગભાઈ વસાવા અસ્થીર મગજના હોય અસ્થીર મગજના કારણે પોતાની જાતે ધરમા મુકેલ ધાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેમને ૧૦૮ એમ્બયુલન્સમા રાજપીપળા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:12 pm IST)