Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જુનાગઢના યુવાન બિલ્ડરનું સુરતમાં શંકાસ્પદ મોત...

પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ...?

વાપી તા.૨૧: સુરતના રાંદરે વિસ્તારમાં જુનાગઢના યુવાન પિયુષ વણપરીયાના શંકાસ્પદ મોતને પગલે અનેક શંકા કુશંકા ઉભી થઇ છે કહેવાય છે કે પિયુષભાઇએ એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી ઝંપલાવી આપઘાત કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જુનાગઢના રહેવાસી યુવક બિલ્ડર પિયુષ પોતાના મિત્રના લગ્નમાં સુરત આવ્યો હતો. ગઇકાલે લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જુનાગઢ નીકળવાનો હતો.

પરંતુ પોતાની બહેનના આગામી તા.૮મી માર્ચના રોજ લગ્ન હોવાથી બેહનના લગ્નની કંકોત્રી આપવા સુરત રોકાઇ ગયો હતો. કહેવાય છે કે કોઇક કારણો સર રાજહંસ પ્લેટીનીયમ પ્લાઝાના પાંચમાં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે.

જોકે આ બનાવને પગલે અનેક શંકા કુશંકા ઉભી થઇ છે. બહેનના લગ્ન આડે હવે માત્ર પંદરેક દિવસ બાકી છે ત્યારે કયાં કારણો સર આપઘાત કર્યો એ અંગે પરિવાર પણ મુંઝવણમાં છે.

આ બનાવ અંગે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે.(

(4:15 pm IST)