Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા થયું સૂર્યત્રાટક ધ્યાનનું આયોજન

અમદાવાદ : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાતમ્ SGVP દ્વારા કાર્યરતશ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા તા. ૧૮ ફેબ્રુઆરી, રવિવારના રોજ પુજય સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણા તથા આશીર્વાદ સાથે નિઃશુલ્ક સૂર્યત્રાટક ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

SGVP ના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચારસો ઉપરાંત શિબિરાર્થીઓની ઉપસ્થિતિમાં સૂર્યત્રાટક ધ્યાન યોજાયું. આ ધ્યાન કરતા પહેલા દરેકના કપાળે રકતચંદનની અર્ચા કરવામાં આવી હતી તથા ચાક્ષુષોપનિષદનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉદયમાન થઇ રહેલા સૂર્યનારાયણનું ત્રાટક કરવામાં આવ્યું હતું. ત્રાટક બાદ સૂર્યધ્યાન કરી ઉપસ્થિત સૌ શિબિરાર્થીઓએ દિવ્યાનુભૂતિનો અનુભવ કર્યો હોત.

આ પ્રસંગે યોગ કન્સ્લ્ટન્ટ હેતલબેન દેસાઇએ સૂર્યત્રાટક તથા ધ્યાનના ફાયદા વર્ણવતા કહ્યું હતું કે આ ત્રાટક તથા ધ્યાનથી મેઘાશકિતની પ્રાપ્તિ, એકાગ્રતામાં વધારો, આધ્યાતિમ્ક પ્રગતિ, સ્વાસ્થ્ય વૃદ્ધિ, આંખની તેજસ્વીતામાં વધારો જેવા અનેક ફાયદાઓ થાય છે.

 

(1:00 pm IST)