Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

તિલકવાડાના દાજીપૂરા ગામની મહિલાએ કોઈ કારણોસર દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દાજીપૂરા ગામમાં એક મહિલાએ દવા પી જતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાજીપૂરા ગામમાં રહેતા ઊર્મિલાબેન હિમ્મતભાઈ વસાવા(૪૬)એ કોઈક કારણોસર તા .૧૯ / ૦૧ / ૨૦૨૧ ના કલાક ૧/૪૫ વાગે પોતાના ઘરના વાડામાં પોતાની જાતે ઘાસમાં છાંટવાની દવા પી જતા પ્રાથમીક સારવાર માટે તિલકવાડા સરકારી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે ડભોઇ ખાતે દેવ હોસ્પીટલ લઇ જતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે

(12:43 am IST)