Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

પદ્માવત ફિલ્મ મામલે તોડફોડથી ગૃહમંત્રી પ્રદીપસિંહ વ્યથિત : લોકોને શાંતિ જાળવવા કરી અપીલ

રાજ્યની શાંતિ-સલામતી જોખમાવી જોઈએ નહીં

અમદાવાદ : રાજ્યમાં પદ્માવત ફિલ્મ મામલે છેલ્લા બે દિવસથી દેખાવો-ટાયરો સળગાવવાની ઘટના અને તોડફોડના બનાવ અંગે ગૃહમંત્રી  પ્રદીપસિંહે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને રાજ્યની શાંતિ સલામતી જોખમાવવી જોઈએ નહીં તેવું સ્પષ્ટ કહ્યું છે.

રાજ્યમાં સંજય  લીલા ભણસાલીની ફિલ્મ "પદ્માવત"ને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ફિલ્મ "પદ્માવતી"ના વિરોધમાં  ઠેર-ઠેર પ્રદર્શન અને તોડફોડ થતાં થિયેટર એસોસિએશન દ્વારા ફિલ્મ ન બતાવવા નિર્ણય લેવાયો છે. ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે.

ગુજરાતની શાંતિ અને સલામતી ન જોખમાવી જોઈએ તેવી સ્પષ્ટવાત કરતા કહ્યું હતું કે કરણસિંહ થીએટર બહાર ફૂલ આપીને વિરોધ કરશે રાજપૂત અગ્રણી કરણસિંહે અહિંસક રીતે વિરોધ કરવાની વાત કરી છ.

 

(11:22 pm IST)