Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

બનાસકાંઠાના ગામ પાસેની નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેતરમાં પાણી ફરી વળ્યાં ખેડુતોને લાખોનું નુકસાન

બનાસકાંઠા : બનાસકાંઠાના વાવના ચોથાનેસડા ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડુતોને લાખોનું નુકસાન થવા પામ્યુ છે. ખેડુતો એ વારંવાર નર્મદા કેનાલમાં પડતા ગાબડા અટકાવવા યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી આપી છે. નર્મદા કેનાલના ગેટ પર પોલીસ બંદોબસ્ત મૂકવાની પણ અધિકારીઓએ જાહેરાત કરી છે.

(1:15 pm IST)