Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વિરમગામ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો

ભાગ્યોદય હોસ્પિટલમાં 2 ડાયાલિસીસ મશીન કાર્યરત કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ પંથકના કિડનીના દર્દીઓને ડાયાલિસીસ માટે અત્યાર સુધી અમદાવાદ સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં જવું પડતું હતું. પહેલા નોરતા એ વિરમગામમાં આવેલા ભાગ્યોદય હોસ્પિટલમાં ડાયાલીસીસ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભાગ્યોદય હોસ્પિટલમાં 2 ડાયાલિસીસ મશીન કાર્યરત કરાયા છે. શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ  ભાગ્યોદય હોસ્પિટલમાં ડાયાલીસીસ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં  ર્ડૉ. જીગરભાઈ શ્રીમાળી (નેફ્રોલોજિસ્ટ ), ર્ડૉ. દિલીપભાઈ પટેલ, ડૉ તેજશ્રીબેન પટેલ, ડૉ.નિરલભાઈ, ર્ડૉ. બૃહદભાઈ સહિત વિરમગામ શહેર તથા આજુ બાજુના અગ્રગણ્ય ડૉકટરો ઉપસ્થિત રહ્યા હતા તેમ ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું.

(4:55 pm IST)