Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજયમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 26 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10.086 : કુલ 8.16.055 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1.60.315 લોકોનું રસીકરણ કરાયું

વલસાડમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 3 કેસ, અમદાવાદ અને સુરતમાં 2-2 કેસ, જામનગર અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 185 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 26 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 26 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.055 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.60.315 લોકોનું રસીકરણ કરાયું છે સાથે રાજયમાં કુલ 6.73.51.741 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 185 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 180 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.055  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 18 કેસમાં વલસાડમાં 5 કેસ,નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 3 કેસ,અમદાવાદ અને સુરતમાં 2-2 કેસ, જામનગર અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો

(7:58 pm IST)