Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પાટીદાર સમાજમાંથી કોઈ યુવાવર્ગ રાષ્ટ્રીય લશ્કરી ફોર્સમાં જોડાશે તો ઊંઝા ઉમિયા સંસ્થા આપશે એક લાખનું ઈનામ

ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી અને બોર્ડરથી ઊંઝા આવી પહોંચી

અમદાવાદ: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને પાટીદાર સમાજના યુવાવર્ગને રાષ્ટ્રીય લશ્કરી ફોર્સમાં સામેલ થાય તે માટે અને દેશની સેવા કરે તો તે પાટીદાર યુવક કે યુવતિને સંસ્થાન દ્વારા એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી અને બોર્ડરથી ઊંઝા આવી પહોંચી હતી.

 

દેશની આઝાદીના 75 વર્ષની ઉજણી સંદર્ભે આઝાની અમૃત મહોત્સવ અંતર્ગત આર્મી દ્વારા 75 અઠવાડિયા સુધી વિવધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરવામાં આવી રહી છે. ઈન્ડો, તિબેટ પોલીસ ફોર્મની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી ચાઈના બોર્ડરખી કેવડિયા કોલોની સધી 27000 કિમીની યાત્રા કરવાની છે જેમાંથી 2300 કિમીનું અંતર કાપીને તે સાયકલ યાત્રા ઊંઝા આવી પહોંચી હતી. ચીન બોર્ડરથી ગોગરાસ લદાખ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, આબુ થઈને ઉંઝા આવેલી આર્મી સાયરલ રેલીનું ઉંઝા ઉમિયા માતા મંદિર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે ઉમિયા સંસ્થાના માનજ મંત્રી દિલિપભાઈ નેતાજીએ જાહેરાત કરી હતી કે પાટીદાર સમાજમાંથી કોઈ પણ યુવક કે યુવતિ જો આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા જશે તો તેને એક લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, આ જાહેરાત કરતા હાલમાં બેરોજગાર યુવક અને યુવતિઓ આર્મિમાં જવા માટે પ્રેરણા મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આઝાદીના 75 વર્ષની ઉજણી સંદર્ભે આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત આર્મી દ્વારા 75 અઠવાડિયા સુધી વિવધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરી રહ્યા છે ત્યારે 2300 કિમીનું અંતર કાપીને આ સ્થળે આવેલા આર્મી જવાનો ઉંઝા મંદિર દ્વારા સંચાલિત આરામગૃહમાં રોકાણ કરશે અને 2 દિવસ આરામ કર્યા બાદ તેઓ કેવડિયા જવા માટે પ્રસ્થાન કરશે.
ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.

(12:30 am IST)