Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કેવડિયામાં ૧૬,તિલકવાડામાં ૧૧ એસ.આર.પી.જવાન પોઝિટિવ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો

નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૩૨ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૧૬૭ એ પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કેવડિયા ખાતે બંદોબસ્તમાં આવેલ એસ.આર.પી ટુકડીઓમાં કોરોના સંક્રમણ મળી રહ્યું છે જિલ્લામાં મંગળવારે નવા ૩૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૩૨ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૧૬ વાઘડિયા ૦૧ કોઠી ૦૧ અને તિલકવાળા એસ.આર.પી જવાન ૧૧ મળી નર્મદા જિલ્લા માં કુલ- ૩૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૫૦ દર્દી દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૬૫ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૧૬૭ એ પહોચ્યો છે.આજે વધુ ૯૧૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:05 pm IST)