Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૯ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૧૩૫એ પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં સોમવારે નવા ૯ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૯ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમા ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૪ વાઘડિયા ૧ અને તિલકવાળાના જલોદરા ગામે ૪ મળી નર્મદા જિલ્લામાં કુલ-૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે,જ્યારે ૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૨૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૩૦ દર્દી દાખલ છે.આજે ૪ દર્દી સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૬૫ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૧૩૫એ પહોચ્યો છે.આજે વધુ ૫૭૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:27 am IST)