Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજ્યમાં કોરોના હાર્યો : વધુ 707 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 490 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત :મૃત્યુઆંક 4371 થયો : કુલ 2,47,223 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 105 કેસ, સુરતમાં 98 કેસ,વડોદરામાં 94 કેસ, રાજકોટમાં 65 કેસ,કચ્છ અને ગાંધીનગરમાં 14-14 કેસ,ભાવનગરમાં 12 કેસ, મહેસાણામાં 10 કેસ નોંધાયા: હાલમાં રાજ્યમાં 5967 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 490 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 707 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 490 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 707 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,47,223 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4371 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,07 થયો છે

  રાજ્યમાં હાલ 5748 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 5697 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2  લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 490 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 105 કેસ, સુરતમાં 98 કેસ,વડોદરામાં 94 કેસ, રાજકોટમાં 65 કેસ,કચ્છ અને ગાંધીનગરમાં 14-14 કેસ,ભાવનગરમાં 12 કેસ, મહેસાણામાં 10 કેસ નોંધાયા છે

(7:51 pm IST)