Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સેલવાસના પીડબલ્યુડીના કાર્યપાલક ઈજનેર એસ.એસ.ભોયાની આત્મહત્યાને પગલે સેલવાસ સજ્જડ બંધ

પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા ભોયની આત્મહત્યા મામલે સ્થાનિક આદિવાસી અને વિવસિદ્ધ સંસ્થાઓએ બંધનું એલાન આપ્યું :વેપારીઓનો ટેકો

સેલવાસમાં પીડબલ્યુડી વિભાગના કાર્યપાલક ઇજનેરની આત્મહત્યાના પગલે સેલવાસમાં વેપાર ધંધા બંધ રાખીને સજ્જડપણે બંધ પાળ્યો હતો.પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતા પીડબલ્યુડી વિભાગના કાર્યપાલક ઇજનેર એસ એસ ભોયાએ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ વિવિધ સ્થાનિક આદિવાસી અને સામાજીક સંસ્થાઓ દ્વારા સેલવાસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને વેપારીઓ તેમજ સ્થાનિકોએ ટેકો જાહેર કરીને બંધમાં જોડાયા હતા

(8:46 pm IST)