Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામમાં અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવારે બે લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડયા

દાંતીવાડા:તાલુકાના  નાંદોત્રા ગામથી  સગાવ્હાલાને બાઈક પર લેવા ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લેતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો.અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક નાસી છૂટયો હતો.આ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા તાલુકાના તુલશીજી બાબુજી જાતે વેચીયા ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ નાંદોત્રા   ગામના રહેવાસી છે સંતાનમાં ત્રણ દિકરા હતા. તેમનો મોટો દીકરો દાંતીવાડા કોલોનીમા અર્બુદા ગેરેજમાં નોકરી કરતો હતો. રાત્રીના એકાદ વાગે  જેતાજીના મોબાઇલ ઉપર ફોન  કુટુંબી ભાણીયા પીટુજી મણાજી રોઢાતરરહે. રામપુરા (કરઝા) તા. અમીરગઢ વાળાનો આવેલો અને જેતાજીને મોડુ થયું હોવાનું કહી તેમનું બાઇક લઇ રામપુરા મને મારા ઘરે મુકવા માટે આવો તેમ કહેતા જેતાજી તથા મંગળજી હેમતાજી વેચીયા બંને જણા આ પીટુજી મણાજી રોકાતર રહે. રામપુરા તા. અમીરગઢ વાળાને રામપુરામુકવા  દાંતીવાડા કોલોની ખાતે ઘરેથી મોટર સાયકલનુ લઇને દાંતીવાડા કોલોનીમાં ગયેલ હતા.

રાત્રીના રાત્રીના સવા બે વાગ્યાના સુમારે દાંતીવાડા કોલોનીથી આગળ વી. ગેટ થી અર્બુદા હોટલ તરફ રોડ ઉપર   અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક ના બે ટુકડા થયા હતા. જેતાજી તેમજ મંગળજી હેમતાજી વેડંચીયા બંને લોકો ઘટના સ્થળે કમકમાટી ભર્યું  મોત થયું હતું.અને પીટુજી મણાજી રોઢા તર રહે. રામપુરા વાળાને ઈજા હતા ૧૦૮ માં પાલનપુર સીવીલ હોસ્પીટલમાં દવાખાને  ખસેડાયો હતો . મરણ જનાર બંને લોકોને દાંતીવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ  દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:41 pm IST)