Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મેમનગર ગુરુકુલમાં ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન દૂધથી નિલકંઠ વર્ણી ભગવાનને પયોભિષેક અભિષિકત દૂધ દર્શનાર્થીઓને વહેંચવામાં આવ્યું

અમદાવાદ તા.૧૯ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧૮-૭-૨૦૨૧ રવિવાર પવિત્ર અષાઢ માસની હરિનૌમિ દિને, વહેલી સવારે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે, શ્રી ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.

   આ રાજોપચાર પૂજનમાં ભગવાનનું ચાર વેદ, શાસ્ત્ર - પુરાણોના પાઠ સાથે વૈદિક પુરુષ સુક્તના મંત્રોનું સ્તવન, તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય વગેરે પ્રત્યક્ષ ઉપચારોથી પૂજન કરવામાં આવેલ. તેમજ ફુલની પાંખડીઓથી ભગવાનને વધાવવામાં આવ્યા હતા. રાજોપચાર પૂજન બાદ દૂધથી નિલકંઠ વર્ણી ભગવાનનું પયોભિષેક કરવામાં કરવામાં આવેલ.

અભિષિક્ત દૂધ દર્શનાર્થીઓને વહેંચવામાં આવેલ.

(1:41 pm IST)