Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતના પીપલોદમાં રાત્રીના સમયે બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 2.85 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત: શહેરના પીપલોદ લેકવ્યુ ગાર્ડનની ગલીમાં આવેલી કૃષ્ણધામ સોસાયટીની સામે આવેલા મંગલમ પાર્ક એપાર્ટમેન્ટના બિલ્ડીંગ બી/3 ના ફ્લેટ નં. 204 માં રહેતા બીનીશાબેન પ્રીતેશ મોદી ગત તા. 13 ના રોજ પરિવાર સાથે બહારગામ ગયા હતા. 

આ દરમિયાન તેમના બંધ ઘરના મેઇન દરવાજાનું તાળું તોડી તસ્કરોએ બેડરૂમના કબાટની ડ્રોઅર તોડી તેમાંથી રોકડા રૂા. 5 હજાર અને સોનાના 14 તોલા વજનના દાગીના મળી કુલ રૂા. 2.85 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. 

ગત રોજ બપોરે બીનીશાબેન પરિવાર સાથે પરત આવ્યા ત્યારે મેઇન દરવાજાનું તાંળુ અને બેડરૂમનો કબાટ તુટેલો અને સરસામાન વેરવિખેર જોઇ ચોંકી ગયા હતા અને તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

(5:25 pm IST)