Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગુજરાત હાઈકૉર્ટ ખાતે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓનો શપથ-ગ્રહણ સમારોહ યોજાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શપથ-ગ્રહણ સમારોહમાં સહભાગી થયા

  રાજકોટ::: ગુજરાત હાઈકૉર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમારે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિશ્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ ન્યાયમૂર્તિશ્રીઓમાં શ્રીમતી મોના ભટ્ટ, શ્રી સમીર દવે, શ્રી હેમંત પ્રચ્છક, શ્રી સંદિપ ભટ્ટ, શ્રી અનિરુદ્ધ માયી,શ્રી નિરલ મહેતા અને સુ.શ્રી નિશા ઠાકોરનો સમાવેશ થાય છે. 

 ગુજરાત હાઈકૉર્ટ ખાતે યોજાયેલા આ શપથ-ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ શપથ-ગ્રહણ સમારોહમાં હાઈકૉર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રીઓ, સુપ્રીમ કૉર્ટના અને હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એડ્વોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી  તેમ જ એડિશનલ સોલિસિટર જનરલ શ્રી એસ.વી રાજુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

(3:37 pm IST)