Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લેતા સંતો

તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સંતોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉપરોકત તસ્વીરમાં તોરણીયા હરિદ્વાર અને કાંદિવલી મુંબઇ નકલંકધામ આશ્રમના સંસ્થાપક પ.પુ.ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુ તેમજ સ્વામીનારાયણ સનાતન આશ્રમ ખીરસરાના મહંત ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી સંત પ.પુુ. ભકિતપ્રકાશ સ્વામીએ મુ.મંત્રીનું ફુલહાર પહેરાવી અને સન્માન કર્યુ હતુ અને ગૌરક્ષા ધર્મરક્ષા વિષય પર ચર્ચા કરી હિન્દુ સનાતન રાષ્ટ્ર સાથે હંમેશા છીએ આવો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને ધર્મ સતા અને રાજસતાનો શુભગ સમન્વય જોવા મળ્યો હતો. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:01 pm IST)