Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા: ▪ધોરણ એકથી આઠમાં માસ પ્રમોશન અંગે હાલમાં કોઇ જ વિચારણા નથી

ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના વહેતા અહેવાલ ખોટા

અમદાવાદ : છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે એમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયુ છે.
આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.

(6:50 pm IST)