Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજપીપળામાં ગણેશ વિસર્જન ને લઈ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા  : રાજપીપળામાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
તા.૧૮/૦૯/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫:૧૫ વાગ્યે ટાઉન પી.આઇ. મોહનસિંહ ચૌહાણ ના નિરીક્ષણમાં ગણેશ વિસર્જન ને લઈ રાજપીપળા ટાઉનમાં પોલીસ ફોર્સ સહિત ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રૂટ રાજપીપળા પોલીસ સ્ટેશન થી નાગરિક બેન્ક, સફેદ ટાવર, સુર્ય દરવાજા, લાલટાવર, જુના પોલીસ સ્ટેશન, આશાપુરા માતાજી મંદિર ,  કાછીયાવાડ, કાળા ઘોડા, રંગ અવધૂત મંદિર થી પરત રાજપીપળા પોલીસ સ્ટેશન સુધી પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો.

(11:05 pm IST)