Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વડોદરાના સયાજીપુરામાં મધ્યરાત્રીએ મકાનમાં આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી

વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક મકાનમાં લાગેલી આગને કારણે પરિવારજનોનો બચાવ થયો હતો. આજવા રોડના નેહરુચાચા નગરમાં રહેતા પિયુષભાઈ પટેલના પરિવારજનો ગઇરાત્રે ઉપરના માળે દિવા પ્રગટાવ્યા બાદ નીચે બેઠા હતા તે દરમિયાન એકાએક ધુમાડા નીકળવા માંગતા તેઓને શંકા પડી હતી. પરિવારજનોએ જોયું તો દીવાને કારણે મંદિર, ગાદલા તેમજ અન્ય ઘરવખરી સામાન આગમાં લપેટાયેલો હતો. પરિવારજનો બહાર હોવાથી તમામનો બચાવ થયો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે ઉંદર દિવેટ ખેંચી ગયો હોવાથી આગ લાગી હોવાનું માની શકાય છે.

(4:46 pm IST)